મારી જન્મભૂમિ - સૂરત

Distance from...
- Ahmedabad to Surat - 294 Kms (by road)- Mumbai to Surat - 282Kms (by road)
સુરત – એક જમાનાનું એ ભારતનું પહેલા દરજ્જાનું શહેર – પશ્ચિમકાંઠાનું
ઉત્તમ બંદર. સુરત બંદરે તાપીમાંનાં વહાણોમાં ચોરાશી બંદરોના વાવટા ઊડતા. સુરત સમૃદ્ધ હતું. એના રુઆબ અને રોનક પરદેશી પ્રવાસીઓએ મુક્તકંઠે વખાણ્યાં છે. પણ એ રોનક અને સમૃદ્ધિએ જ શિવાજીને અને અન્યને લૂંટ માટે લલચાવ્યા, તો કુદરતે પણ પોતાનો પ્રકોપ દાખવ્યો અને આગ અને પૂરમાં સુરત તારાજ થયું અનેક વાર – પણ તારાજીની કળ વળતાં જ એ પાછું પૂરા રુઆબ સાથે બેઠું થયું છે.
સુરત સ્વપ્નશીલો અને સહેલાણીઓનું, સુધારકો અને સંસ્કૃતિપ્રેમીઓનું નગર છે. દાંડીકૂચ સુરત શહેરમાંથી પસાર થઈ એ પહેલાં સો એક વર્ષ અગાઉ સુરતના સપૂત અને ગુજરાતના અર્વાચીનોમાં આદ્ય સારસ્વત નર્મદે આ યુગની દાંડી પીટેલી અને ગુજરાતનું ગૌરવગાન લલકારેલું :
‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત ‘
એ વીર સુધારકે વહેમ, અંધશ્રદ્ધા અને રૂઢિજડતા સામે વિદ્રોહ કરેલો – માત્ર લેખો, પત્રકારત્વ કે ભાષણોથી જ નહીં પણ કર્મ અને આચરણથી. આ કવિ વીર નર્મદની સ્મૃતિઓ સુરત આજેય આદરથી જાળવી રહ્યું છે – તેમના નિવાસસ્થાન, પ્રતિમા અને ‘નર્મદ સાહિત્ય સભા‘ની પ્રવૃત્તિઓથી તથા તેવાં તમામ લખાણોની સંશોધિત પ્રવૃત્તિ ગ્રંથશ્રેણી દ્વારા.
સુરત ઐતિહાસિક નગર છે. અલબત્ત, મલેક ગોપીનું નામ માત્ર ‘ગોપીપરા‘માં જ અવશિષ્ટ છે ને તેનું વિશાળ ગોપી તળાવ તો ક્યારનુંય પુરાઈ ગયું છે. કહેવાય છે કે, પ્રેમાનંદના સમયમાં જ તે ભાંગેલા તળાવના પથ્થરો કિલ્લાની દીવાલમાં વપરાતા. હવે તો માત્ર તેનું નામ જ રહ્યું છે. એ કિલ્લા ‘શહરપનાહ‘ અને ‘આલમપનાહ‘ પણ વિકસતા નગરને જગા કરી આપવા જમીનદોસ્ત થઈ ગયા છે પણ હજીય જોઈ શકાય છે, ચોક બજારમાંનો કિલ્લો. સુરતનું કદાચ તે સૌથી જૂનું બાંધકામ છે. ઈ. 1540-41માં સુરતના નાઝિમ ખ્વાજા સફર સલમાનીએ તે બંધાવેલો.
સુરત બંદરની ત્યારે જાહોજલાલી હતી. તાપી નદી પર ઊભેલાં દેશ-પરદેશનાં વહાણો પર ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. સુરતના નાણાવટ અને ઝવેરી બજારમાં સમૃદ્ધિની છોળો ઊછળતી.
અંગ્રેજ અમલના એક નોંધપાત્ર સ્મારક તરીકે એન્ડ્રુઝ લાઇબ્રેરી, ઈ. 1850ની 18મી જૂને સુરત લિટરરી સોસાયટીની સ્થાપના કરવામાં આવેલી અને એન્ડ્રુઝ નામના નિવૃત્ત ન્યાયાધીશના નામથી 1લી જૂલાઈએ આ લાઇબ્રેરી શરૂ થયેલી. આ લાઇબ્રેરીમાં 150-300 વર્ષ જૂનાં અમૂલ્ય પુસ્તકો છે. આ ઉપરાંત લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી પણ છે. તે વિપુલ વાંચન-સામગ્રીથી ભરપૂર છે.
ચોકબજારમાં એક સંગ્રહાલય છે. મૂળ તે વિન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે ઓળખાતું. અત્યારે તે સરદાર સંગ્રહાલય તરીકે જાણીતું છે. ઈ. 1890ની 1લી ફેબ્રુઆરીએ તે સ્થાપયેલું. અનેક બેનમૂન કલાકૃતિ ને ઐતિહાસિક સામગ્રી તેમાં સચવાયેલી છે. સંગ્રહાલયની બાજુમાં જ હવે પ્લેનેટોરિયમ પણ થયું છે. આધુનિક સ્થાનોમાં સૌથી વધુ નોંધપાત્ર રિંગ રોડ પરની ‘સુરત ટેક્સટાઇલ માર્કેટ‘.
કહેવત છે : ‘સુરતનું જમણ અને કાશીનું મરણ‘. સુરતી પ્રજા ચટાકેદાર ખાણીપીણી માટે જાણીતું છે, પરંતુ સુરતનું આગવું આકર્ષણ છે પોંકની ઋતુમાં નદીને સામે કાંઠે શીતલ સિનેમા પાસે ઊભું થતું પોંકનગર. નવેમ્બર-ડિસેમ્બરમાં બહારગામથી આવતા હજારો શોખીનો અહીં પોંકની લિજ્જત માણે છે. શિયાળામાં સુરત જઈ પોંક અને ઊંધિયું ખાવું એ પણ એક લ્હાવો છે.
અહીંનાં સંખ્યાબંધ ધર્મસ્થાનો પણ જોવા જેવાં છે. તેમાં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ઘણું પ્રાચીન છે. નર્મદે ‘ગુજરાત સર્વસંગ્રહ‘માં નોંધ્યું છે તે મુજબ તે પંદરમી સદીમાં બંધાયેલું છે. લાકડામાં કરેલું નકશીકામ તથા ચિત્રકામ અને સોલંકી રાજવી કુમારપાળ તથા આચાર્ય હેમચંદ્રાચાર્યની તસવીરો અહીં જોવા મળે છે. આ ઉપરાંત અઠવાલાઇન્સનું આદીશ્વર જિનાલય, નાનપુરાનું ચંદ્રપ્રભુ જિનાલય, ગોપીપુરાનું આત્મોદ્વારક જૈન મંદિર, સૈયદપુરાનું નંદીશ્વર દ્વીપ દેરાસર, દાદાસાહેબનું હરિપુરાનું અને આદીશ્વર ભગવાનનું કતારગામનું દેરાસર પણ સુંદર છે. અંબાજીનું પ્રસિદ્ધ મંદિર તથા ઉપરી જકાતનાકા પાસે રામનાથ ઘેલાનું પ્રસિદ્ધ શિવમંદિર તથા બાલાજીનું મંદિર જાણીતાં છે, તો વૈષ્ણવમંદિર અને મહાપ્રભુજીની બેઠક તો ધાર્મિક માહાત્મ્ય તેમજ ઐતિહાસિક મહત્વની ર્દષ્ટિએ નોંધપાત્ર છે. સુરતનો સ્મશાનઘાટ થોડેક જ દૂર તાપીતટે, અશ્વિનીકુમારના ઘાટે.
અહીંની રસિક-આનંદી-મોજીલી પ્રજા ખુશહાલ છે. સુરતીઓના સહેલાણી અને શોખીન સ્વભાવે એમને ‘સુરતીલાલા સહેલાણી‘નું બિરુદ અપાવ્યું છે. પહેરવે-ઓઢવે અને ખાધેપીધે શોખીન અને રંગીન સ્વભાવની અહીંની પ્રજાની એક અનોખી તાસીર છે. તેમના વસ્ત્રાભૂષણનાં ઝાકમઝોળ અને વરઘોડા-ઉત્સવોના ઠાઠમાઠમાં તે ઉમંગી રસિકતા વ્યક્ત થાય છે, તો મીઠાઈ-ઘારી, બરફી સાથે બલકે તે કરતાં અધિક ફરસાણનો શોખ. તેથી સુરતી જમણે તેના વૈવિધ્ય અને સ્વાદથી તેને એવી ખ્યાતિ આપી છે કે, ‘સુરતનું જમણ‘ એવી કહેવત બંધાઈ ગઈ છે. નદીના કાંપમાં પાકતાં સુંદર ફળો અને શાકભાજીએ આ સ્વાદીલા સ્વભાવને અનુકૂળતા કરી આપી છે. ‘ઊધિયું‘, તીખી સેવ સાથેનો પોંક, રતાળુ-પૂરી અને ‘ભૂસું‘ એ તો સુરતના નામ સાથે જ યાદ આવી જાય. સુરત મોજીલા માણસોનું નગર છે. ‘ઉત્તરાયણનો ઉત્સવ‘ તો સુરતનો જ. બાળકોથી માંડીને વૃદ્ધો, સ્ત્રી-પુરુષો સૌ ‘કનકવો‘ (પતંગ) ચગાવવાનો આ ઉત્સવ ઘેલાં થઈને માણે છે.
આજનાં સુરતની સૂરત છેલ્લાં વીસ વર્ષોમાં સુરતનો વિકાસ ભારતના તમામ શહેરો કરતાં વધુ ગતિથી થયો છે. એક જમાનામાં સરદારોનું શહેર ગણાતું સુરત. પ્લેગમાં દુનિયાભરમાં બદનામ થયેલું સુરત આજે ગુજરાતભરમાં બીજા નંબરનું સુંદર શહેર છે. 1970માં સુરતની વસ્તી લગભગ ત્રણ લાખ આસપાસ બોલાતી હતી તે છેલ્લાં વીસ વર્ષોમાં ત્રીસ લાખને આંબી ગઈ છે. અહીં મરાઠી ભાષાની હાઈસ્કૂલો છે, તેલુગુની, બંગાળીની, મલયાલમની, ઉડિયાની, તમિલની પ્રાયમરી સ્કૂલો અને દરેક પ્રાંતના સમાજો છે.
સુરતમાં ત્રણ કિલોમીટરનો ફ્લાય ઓવર બ્રિજ રીંગ રોડ ઉપર, બીજો લગભગ પાંચ કિલોમીટરનો ફ્લાય ઓવર બ્રિજ સુમૂલ ડેરી રોડ ઉપર તથા અઠવાગેટ ઉપરના ચારે બાજુના ભરપૂર ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટેનો વિશિષ્ટ શૈલીનો ફ્લાય ઓવર શોભા વધારે છે.
તાપી નદી ઉપર એક જ પુલ હતો તેને બદલે અઠવા ગેટ પાસે સરદાર બ્રિજ, મક્કાઈ પુલ પાસે વિવેકાનંદ બ્રિજ, કતારગામ પાસે નેશનલ હાઈવેને જોડતો બ્રિજ, મગદલ્લા પાસે મુંબઈ-સુરત ગેસ પાઈપ લાઈનને પણ સાથે લઈ આવતો બ્રિજ, નાના વરાછા – મોટા વરાછાને જોડતો બ્રિજ, વરિયાલ-બેડને જોડતો બ્રિજ વગેરે પુલો નવા બન્યા છે.
સુરત કોર્પોરેશન સંસ્કાર પ્રવૃત્તિના ભાગ રૂપે દર વર્ષે મોટો પુસ્તકમેળો યોજે છે. આ મેળો રાષ્ટ્રીય કક્ષાના મોટા પુસ્તકમેળા જેવો હોય છે અને દેશભરમાંથી 300 ઉપર પ્રકાશકો તેમાં ભાગ લે છે. વરાછા રોડ ઉપર સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ ટી.વી. પ્રસારણ કેન્દ્ર, મોબાઇલ કંપનીઓની? ઑફિસો પણ શહેરમાં સ્થાયી થયેલ છે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે મોટું ઇન્ડોર સ્ટેડિયમ, ક્રિકેટ માટે મોટું સ્ટેડિયમ વગેરે પણ સુરતને શોભા આપે છે.
સુરતની આજુબાજુ વિકાસ પામેલા વિસ્તારો અત્યંત રમણીય છે. લગભગ તમામ રસ્તાઓ ફોર લેઈન છે અને દરેકમાં ડીવાઇડરો છે. જેમાં સુંદર ફૂલછોડો તથા વૃક્ષોથી શોભા વધે છે. શહેરથી થોડે જ દૂર વૉટર પાર્ક છે, બાજુમાં ઉભરાટનો સરસ દરિયાકિનારો છે. સાળો, હીરાનાં કારખાનાંઓ, આજુબાજુના ઉદ્યોગ નગરોથી શહેરના ઉદ્યોગો ધમધમે છે અને સુરતને ભારતનું ટોકિયો કહેવામાં આવે છે. સુરત તે સાર્થક કરશે તેવી આશા છે.
સુરત સ્વપ્નશીલો અને સહેલાણીઓનું, સુધારકો અને સંસ્કૃતિપ્રેમીઓનું નગર છે. દાંડીકૂચ સુરત શહેરમાંથી પસાર થઈ એ પહેલાં સો એક વર્ષ અગાઉ સુરતના સપૂત અને ગુજરાતના અર્વાચીનોમાં આદ્ય સારસ્વત નર્મદે આ યુગની દાંડી પીટેલી અને ગુજરાતનું ગૌરવગાન લલકારેલું :
‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત ‘
એ વીર સુધારકે વહેમ, અંધશ્રદ્ધા અને રૂઢિજડતા સામે વિદ્રોહ કરેલો – માત્ર લેખો, પત્રકારત્વ કે ભાષણોથી જ નહીં પણ કર્મ અને આચરણથી. આ કવિ વીર નર્મદની સ્મૃતિઓ સુરત આજેય આદરથી જાળવી રહ્યું છે – તેમના નિવાસસ્થાન, પ્રતિમા અને ‘નર્મદ સાહિત્ય સભા‘ની પ્રવૃત્તિઓથી તથા તેવાં તમામ લખાણોની સંશોધિત પ્રવૃત્તિ ગ્રંથશ્રેણી દ્વારા.
સુરત ઐતિહાસિક નગર છે. અલબત્ત, મલેક ગોપીનું નામ માત્ર ‘ગોપીપરા‘માં જ અવશિષ્ટ છે ને તેનું વિશાળ ગોપી તળાવ તો ક્યારનુંય પુરાઈ ગયું છે. કહેવાય છે કે, પ્રેમાનંદના સમયમાં જ તે ભાંગેલા તળાવના પથ્થરો કિલ્લાની દીવાલમાં વપરાતા. હવે તો માત્ર તેનું નામ જ રહ્યું છે. એ કિલ્લા ‘શહરપનાહ‘ અને ‘આલમપનાહ‘ પણ વિકસતા નગરને જગા કરી આપવા જમીનદોસ્ત થઈ ગયા છે પણ હજીય જોઈ શકાય છે, ચોક બજારમાંનો કિલ્લો. સુરતનું કદાચ તે સૌથી જૂનું બાંધકામ છે. ઈ. 1540-41માં સુરતના નાઝિમ ખ્વાજા સફર સલમાનીએ તે બંધાવેલો.
સુરત બંદરની ત્યારે જાહોજલાલી હતી. તાપી નદી પર ઊભેલાં દેશ-પરદેશનાં વહાણો પર ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. સુરતના નાણાવટ અને ઝવેરી બજારમાં સમૃદ્ધિની છોળો ઊછળતી.
અંગ્રેજ અમલના એક નોંધપાત્ર સ્મારક તરીકે એન્ડ્રુઝ લાઇબ્રેરી, ઈ. 1850ની 18મી જૂને સુરત લિટરરી સોસાયટીની સ્થાપના કરવામાં આવેલી અને એન્ડ્રુઝ નામના નિવૃત્ત ન્યાયાધીશના નામથી 1લી જૂલાઈએ આ લાઇબ્રેરી શરૂ થયેલી. આ લાઇબ્રેરીમાં 150-300 વર્ષ જૂનાં અમૂલ્ય પુસ્તકો છે. આ ઉપરાંત લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી પણ છે. તે વિપુલ વાંચન-સામગ્રીથી ભરપૂર છે.
ચોકબજારમાં એક સંગ્રહાલય છે. મૂળ તે વિન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે ઓળખાતું. અત્યારે તે સરદાર સંગ્રહાલય તરીકે જાણીતું છે. ઈ. 1890ની 1લી ફેબ્રુઆરીએ તે સ્થાપયેલું. અનેક બેનમૂન કલાકૃતિ ને ઐતિહાસિક સામગ્રી તેમાં સચવાયેલી છે. સંગ્રહાલયની બાજુમાં જ હવે પ્લેનેટોરિયમ પણ થયું છે. આધુનિક સ્થાનોમાં સૌથી વધુ નોંધપાત્ર રિંગ રોડ પરની ‘સુરત ટેક્સટાઇલ માર્કેટ‘.
કહેવત છે : ‘સુરતનું જમણ અને કાશીનું મરણ‘. સુરતી પ્રજા ચટાકેદાર ખાણીપીણી માટે જાણીતું છે, પરંતુ સુરતનું આગવું આકર્ષણ છે પોંકની ઋતુમાં નદીને સામે કાંઠે શીતલ સિનેમા પાસે ઊભું થતું પોંકનગર. નવેમ્બર-ડિસેમ્બરમાં બહારગામથી આવતા હજારો શોખીનો અહીં પોંકની લિજ્જત માણે છે. શિયાળામાં સુરત જઈ પોંક અને ઊંધિયું ખાવું એ પણ એક લ્હાવો છે.
અહીંનાં સંખ્યાબંધ ધર્મસ્થાનો પણ જોવા જેવાં છે. તેમાં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ઘણું પ્રાચીન છે. નર્મદે ‘ગુજરાત સર્વસંગ્રહ‘માં નોંધ્યું છે તે મુજબ તે પંદરમી સદીમાં બંધાયેલું છે. લાકડામાં કરેલું નકશીકામ તથા ચિત્રકામ અને સોલંકી રાજવી કુમારપાળ તથા આચાર્ય હેમચંદ્રાચાર્યની તસવીરો અહીં જોવા મળે છે. આ ઉપરાંત અઠવાલાઇન્સનું આદીશ્વર જિનાલય, નાનપુરાનું ચંદ્રપ્રભુ જિનાલય, ગોપીપુરાનું આત્મોદ્વારક જૈન મંદિર, સૈયદપુરાનું નંદીશ્વર દ્વીપ દેરાસર, દાદાસાહેબનું હરિપુરાનું અને આદીશ્વર ભગવાનનું કતારગામનું દેરાસર પણ સુંદર છે. અંબાજીનું પ્રસિદ્ધ મંદિર તથા ઉપરી જકાતનાકા પાસે રામનાથ ઘેલાનું પ્રસિદ્ધ શિવમંદિર તથા બાલાજીનું મંદિર જાણીતાં છે, તો વૈષ્ણવમંદિર અને મહાપ્રભુજીની બેઠક તો ધાર્મિક માહાત્મ્ય તેમજ ઐતિહાસિક મહત્વની ર્દષ્ટિએ નોંધપાત્ર છે. સુરતનો સ્મશાનઘાટ થોડેક જ દૂર તાપીતટે, અશ્વિનીકુમારના ઘાટે.
અહીંની રસિક-આનંદી-મોજીલી પ્રજા ખુશહાલ છે. સુરતીઓના સહેલાણી અને શોખીન સ્વભાવે એમને ‘સુરતીલાલા સહેલાણી‘નું બિરુદ અપાવ્યું છે. પહેરવે-ઓઢવે અને ખાધેપીધે શોખીન અને રંગીન સ્વભાવની અહીંની પ્રજાની એક અનોખી તાસીર છે. તેમના વસ્ત્રાભૂષણનાં ઝાકમઝોળ અને વરઘોડા-ઉત્સવોના ઠાઠમાઠમાં તે ઉમંગી રસિકતા વ્યક્ત થાય છે, તો મીઠાઈ-ઘારી, બરફી સાથે બલકે તે કરતાં અધિક ફરસાણનો શોખ. તેથી સુરતી જમણે તેના વૈવિધ્ય અને સ્વાદથી તેને એવી ખ્યાતિ આપી છે કે, ‘સુરતનું જમણ‘ એવી કહેવત બંધાઈ ગઈ છે. નદીના કાંપમાં પાકતાં સુંદર ફળો અને શાકભાજીએ આ સ્વાદીલા સ્વભાવને અનુકૂળતા કરી આપી છે. ‘ઊધિયું‘, તીખી સેવ સાથેનો પોંક, રતાળુ-પૂરી અને ‘ભૂસું‘ એ તો સુરતના નામ સાથે જ યાદ આવી જાય. સુરત મોજીલા માણસોનું નગર છે. ‘ઉત્તરાયણનો ઉત્સવ‘ તો સુરતનો જ. બાળકોથી માંડીને વૃદ્ધો, સ્ત્રી-પુરુષો સૌ ‘કનકવો‘ (પતંગ) ચગાવવાનો આ ઉત્સવ ઘેલાં થઈને માણે છે.
આજનાં સુરતની સૂરત છેલ્લાં વીસ વર્ષોમાં સુરતનો વિકાસ ભારતના તમામ શહેરો કરતાં વધુ ગતિથી થયો છે. એક જમાનામાં સરદારોનું શહેર ગણાતું સુરત. પ્લેગમાં દુનિયાભરમાં બદનામ થયેલું સુરત આજે ગુજરાતભરમાં બીજા નંબરનું સુંદર શહેર છે. 1970માં સુરતની વસ્તી લગભગ ત્રણ લાખ આસપાસ બોલાતી હતી તે છેલ્લાં વીસ વર્ષોમાં ત્રીસ લાખને આંબી ગઈ છે. અહીં મરાઠી ભાષાની હાઈસ્કૂલો છે, તેલુગુની, બંગાળીની, મલયાલમની, ઉડિયાની, તમિલની પ્રાયમરી સ્કૂલો અને દરેક પ્રાંતના સમાજો છે.
સુરતમાં ત્રણ કિલોમીટરનો ફ્લાય ઓવર બ્રિજ રીંગ રોડ ઉપર, બીજો લગભગ પાંચ કિલોમીટરનો ફ્લાય ઓવર બ્રિજ સુમૂલ ડેરી રોડ ઉપર તથા અઠવાગેટ ઉપરના ચારે બાજુના ભરપૂર ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટેનો વિશિષ્ટ શૈલીનો ફ્લાય ઓવર શોભા વધારે છે.
તાપી નદી ઉપર એક જ પુલ હતો તેને બદલે અઠવા ગેટ પાસે સરદાર બ્રિજ, મક્કાઈ પુલ પાસે વિવેકાનંદ બ્રિજ, કતારગામ પાસે નેશનલ હાઈવેને જોડતો બ્રિજ, મગદલ્લા પાસે મુંબઈ-સુરત ગેસ પાઈપ લાઈનને પણ સાથે લઈ આવતો બ્રિજ, નાના વરાછા – મોટા વરાછાને જોડતો બ્રિજ, વરિયાલ-બેડને જોડતો બ્રિજ વગેરે પુલો નવા બન્યા છે.
સુરત કોર્પોરેશન સંસ્કાર પ્રવૃત્તિના ભાગ રૂપે દર વર્ષે મોટો પુસ્તકમેળો યોજે છે. આ મેળો રાષ્ટ્રીય કક્ષાના મોટા પુસ્તકમેળા જેવો હોય છે અને દેશભરમાંથી 300 ઉપર પ્રકાશકો તેમાં ભાગ લે છે. વરાછા રોડ ઉપર સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ ટી.વી. પ્રસારણ કેન્દ્ર, મોબાઇલ કંપનીઓની? ઑફિસો પણ શહેરમાં સ્થાયી થયેલ છે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે મોટું ઇન્ડોર સ્ટેડિયમ, ક્રિકેટ માટે મોટું સ્ટેડિયમ વગેરે પણ સુરતને શોભા આપે છે.
સુરતની આજુબાજુ વિકાસ પામેલા વિસ્તારો અત્યંત રમણીય છે. લગભગ તમામ રસ્તાઓ ફોર લેઈન છે અને દરેકમાં ડીવાઇડરો છે. જેમાં સુંદર ફૂલછોડો તથા વૃક્ષોથી શોભા વધે છે. શહેરથી થોડે જ દૂર વૉટર પાર્ક છે, બાજુમાં ઉભરાટનો સરસ દરિયાકિનારો છે. સાળો, હીરાનાં કારખાનાંઓ, આજુબાજુના ઉદ્યોગ નગરોથી શહેરના ઉદ્યોગો ધમધમે છે અને સુરતને ભારતનું ટોકિયો કહેવામાં આવે છે. સુરત તે સાર્થક કરશે તેવી આશા છે.
સૌજન્ય - હરીશ ભાતુ

No comments:
Post a Comment